• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Bikaner Vala: રસગુલ્લાને ડોલમાં વેચીને ધંધાની કરી શરૂઆત, સખત મહેનતથી “બિકાનેરવાલા” બ્રાન્ડ ઊભી કરી.. જાણો કેદારનાથ અગ્રવાલ (કાકાજી)ની કહાની..

Bikaner Vala: રસગુલ્લાને ડોલમાં વેચીને ધંધાની કરી શરૂઆત, સખત મહેનતથી “બિકાનેરવાલા” બ્રાન્ડ ઊભી કરી.. જાણો કેદારનાથ અગ્રવાલ (કાકાજી)ની કહાની..

01:43 PM June 22, 2022 Admin Share on WhatsApp



મસાલેદાર ભુજિયાનો સ્વાદ માણવો હોય કે રસગુલ્લાનો રસ માણવો હોય, લોકોની જીભ પર 'બિકાનેરવાલા'નું નામ એકવાર તો આવે જ છે. એક નાની દુકાનથી શરૂ થયેલી આ ફૂડ ચેઈન દુનિયાભરના લોકોની પસંદ બની ગઈ છે. આ વિશેષ બ્રાન્ડ બનાવવાનો શ્રેય 83 વર્ષીય લાલા કેદારનાથ અગ્રવાલ (કાકાજી) અને તેમના પરિવારને જાય છે.

​​​​'બીકાનેરવાલા'ની સફર 1955થી શરૂ થઈ હતી. આ તે સમય હતો જ્યારે કાકાજી તેમના ભાઈ સાથે દિલ્હી પહોંચ્યા અને અહીં સ્થાયિ થઈ ગયા હતા. શરૂઆતમાં તેમની પાસે રહેવાની જગ્યા નહોતી. તેથી તેણે ઘણી રાતો ધર્મશાળામાં વિતાવી. તેને જીવન વિતાવવા માટે પૈસાની જરૂર હતી, તેથી તેણે બિકાનેરી રસગુલ્લા અને નમકીનને ડોલમાં ભરીને વેચવાનું શરૂ કર્યું.


જ્યારે લોકો હલવા, રસગુલ્લા અને નમકીનના દિવાના બની ગયા હતા

વેચાણ વધવાની સાથે ટૂંક સમયમાં તેઓએ જૂની દિલ્હીમાં એક દુકાન ભાડે લીધી. દુકાન પર કામ કરવા માટે બિકાનેરથી કેટલાક કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં તેનું કામ શરૂ થઈ ગયું. દિવાળી આવતા સુધીમાં લોકો તેમના દ્વારા બનાવેલા મગના હલવા, રસગુલ્લા અને નમકીનના દિવાના બની ગયા હતા. જેનો લાભ તેમને તહેવાર સમયે વધારે મળ્યો.


તેઓની મીઠાઈઓ એટલી બધી વેચાઈ કે તેણે એક નિયમ બનાવ્યો કે તે કોઈ વ્યક્તિને 10 થી વધુ રસગુલ્લા ન આપે. આ સમય સુધી લોકો કાકાજીની દુકાનને બિકાનેરી ભુજિયા ભંડારના નામથી જ ઓળખતા હતા. ત્યારે તેઓનું આ ટ્રેડ માર્ક હતું. કાકાજીના મોટા ભાઈ જુગલ કિશોરની સલાહ પર, તેમણે દુકાનનનું નામ બદલીને 'બીકાનેરવાલા' રાખ્યું. તેની પાછળનો તર્ક એ હતો કે આનાથી તેના શહેરનું નામ પણ બિકાનેર રહેશે. આ વાત સાચી સાબિત થઈ અને 'બીકાનેરવાલા'નું નામ લોકોની જીભ પર ચઢી ગયું.


એક મોટી બ્રાન્ડ તરીકે 1000 કરોડથી વધુની કિંમતની કંપની બની

1972-73માં તેમણે દિલ્હીના કરોલબાગમાં એક દુકાન ખરીદી. અને તે પછી તેમણે પાછું વળીને જોયું નથી. ટૂંક સમયમાં, આ દુકાનોની સંખ્યા વધતી ગઈ. હવે તે 1000 કરોડથી વધુની કિંમતની કંપનીના રૂપમાં એક મોટી બ્રાન્ડ છે. આ આખી સફરની સૌથી સારી વાત એ હતી કે 'કાકાજી' બદલાયા નથી. તેના ચહેરા પરનું સ્મિત અને કામ પ્રત્યેનો જુસ્સો પહેલા જેવો જ છે. તેમના પરિવારના ઘણા લોકો આ અંગત વ્યવસાય સાથે જોડાયેલા છે અને 'કાકા'ના કાર્યને આગળ ધપાવવામાં વ્યસ્ત છે.


બિકાનેરવાલા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર શ્યામ સુંદર અગ્રવાલ છે. 1968માં, 16 વર્ષની ઉંમરે, તેંમણે તેના પારિવારિક વ્યવસાયમાં જોડાઈ અને મીઠાઈ બનાવવાની કળા શીખી. 1980 ના દાયકામાં, જ્યારે પશ્ચિમી ફાસ્ટ-ફૂડ પિઝા ભારતીય બજારમાં પ્રવેશ્યા, ત્યારે અગ્રવાલ પરિવારે બજારની માંગને અનુભવી અને તેમના આઉટલેટ્સનો વિસ્તાર કર્યો. અને બ્રાન્ડ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થઈ..

બ્રાન્ડ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થઈ

1988 માં, બ્રાન્ડને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે, તેમણે એર-ટાઈટ પેકેજિંગમાં મીઠાઈઓ અને નાસ્તા વેચવા માટે Bikano શરૂ કરી. આ જ ક્રમમાં, વર્ષ 1995માં, બિકાનેરવાલાએ હરિયાણાના ફરીદાબાદમાં નવો પ્લાન્ટ ખોલીને પેપ્સિકોની બ્રાન્ડ 'લેહર' માટે નમકીનનું ઉત્પાદન કરવા માટે એક વિશિષ્ટ કરાર કર્યો. 2003 માં, કંપનીએ બિકાનો ચેટ કાફે ખોલવાનું શરૂ કર્યું. આ એક પ્રકારની ફાસ્ટ ફૂડ સર્વિસ રેસ્ટોરન્ટ છે. 'બીકાનેરવાલાએ હૈદરાબાદના બંજારા હિલ્સમાં એક બુટિક હોટેલ પણ શરૂ કરી, જે ખુબ પ્રખ્યાત બની અને આજે પણ બિકાનેરવાલા બ્રાન્ડથી અનેક આઉટલેટ શરૂ થતા રહે છે અને લોકો તેનો સ્વાદ માણ્યા કરે છે..

gujju news channel - business news in gujarati - gujarati news - gujju news - dhandho - gujju motivation



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us